WhatsApp Join Now on WhatsApp વીડિયો રેકોર્ડ કરી કહ્યુ- ‘હું જીવન ટૂંકાવું છું કેમ કે મારી પત્ની અને સાસરાવાળા…’Atul Subhash જેવો વધુ એક કેસ! પત્નીની પ્રતાડનાથી તંગ આવી કર્યો આપઘાત - Ojasinformer

વીડિયો રેકોર્ડ કરી કહ્યુ- ‘હું જીવન ટૂંકાવું છું કેમ કે મારી પત્ની અને સાસરાવાળા…’Atul Subhash જેવો વધુ એક કેસ! પત્નીની પ્રતાડનાથી તંગ આવી કર્યો આપઘાત

રાત્રે 3 વાગ્યે પત્ની સાથે ફોન પર ઝઘડો, સુસાઇડ પહેલી પુનીત ખુરાનાએ રેકોર્ડ કર્યો હતો 59 મિનિટનો વીડિયો, વાંચો પૂરી કહાની દિલ્હી કેફે માલિક આપઘાત- છેલ્લા ફોનમાં પત્નીએ કહ્યુ હતુ- ભિખારી, તારો ચહેરો પણ નથી જોવા માગતી, હવે કહીશ ધમકાવ્યો એટલે આત્મહત્યા કરી લઇશ…

દિલ્હીના કલ્યાણ વિહાર વિસ્તારમાં 40 વર્ષીય કેફે સંચાલક પુનિત ખુરાનાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ખબર સામે આવી રહી છે. તેણે પત્ની અને સાસરિયાવાળા પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પુનીતની કહાની સામે આવ્યા બાદ લોકોને Atul Subhash કેસની યાદ આવી રહી છે. આ કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે.જ્યારે 31 ડિસેમ્બરે લોકો નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ પોતાના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી.

પુનીતનો તેની પત્ની અને બિઝનેસ પાર્ટનર મનિકા જગદીશ પાહવાથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, બંને એક સાથે કેફે પણ ચલાવતા હતા. આપઘાત પહેલા પુનીતનો તેની પત્ની સાથે ફોન પર ઝઘડો થયો હતો. 16 મિનિટનો ઓડિયો પણ સામે આવ્યો છે. આ પછી પુનીતે 59 મિનિટનો વીડિયો રેકોર્ડ કરી આપઘાત કરી લીધો. દિલ્હી પોલિસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, મંગળવારે સાંજે લગભગ 4.18 પર મોડલ ટાઉનના કલ્યાણ વિહારથી તેમને આપઘાતના સમાચાર મળ્યા હતા.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી જોયું તો પુનીત બેડ પર પડેલો હતો અને તેના ગળા પર નિશાન હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. પુનીતને BJRM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે તેનો જીવ બચાવી ન શકાયો. 2016માં પુનીત ખુરાના અને મનિકાના લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોએ પુનીતની પત્ની અને તેના સાસરિયાઓ પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. પુનીતની માતાએ કહ્યું કે એક વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું. પરંતુ આ પછી ઝઘડો શરૂ થયો.

તેની પત્ની તેને ખૂબ હેરાન કરતી હતી, જેના કારણે તેણે આવું પગલું ભર્યું. બપોરે 3 વાગ્યા સુધી દરવાજો ન ખોલતાં અમે દરવાજો તોડ્યો હતો. તે અંદર ફાંસી પર લટકેલો હતો. પુનીતના પરિવારના જણાવ્યા અનુસાર, તે તેની પત્ની સાથે બેકરીનો ધંધો કરતો હતો. તે For God’s Cake અને Woodbox Cafe નામના કેફે ચલાવતો હતો. પરિવારજનોનું કહેવું છે કે છૂટાછેડા ઉપરાંત બિઝનેસને લઈને પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

Related Post

આજનું રાશિફળ : 12 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજ્ નો દિવસ તમારા જીવનમાં નવી તકો અને સફળતાના દ્વાર ખોલશે. દરેક રાશિના જાતકો માટે આ ...

|

આજનું રાશિફળ : 11 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજનો દિવસ તમારા માટે નવી તકો અને સફળતાઓના દ્વાર ખૂલી રહ્યા છે! આજે તમામ રાશિ ગ્રહોના ...

|

આગામી વર્ષે Japanને પછાડીને Indian-અર્થતંત્ર વિશ્વમાં ચોથો-ક્રમ હાંસલ કરે તેવી …

Indian અર્થતંત્ર એક નવા મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરફ આગળ વધી રહ્યું છે વધુ જાણીએ તો નાણાકીય વર્ષ 2024-25માં યુએસ ડોલર સામે Indian રૂપિયો લગભગ 4% ...

|

આજનું રાશિફળ : 10 માર્ચ 2025

Daily Horoscope: તમારું આજનું રાશિફળ શું કહે છે? આજ્ નો દિવસ તમારા જીવનમાં નવી તકો અને સફળતાના દ્વાર ખોલશે. દરેક રાશિના જાતકો માટે આ ...

|

Leave a Comment