WhatsApp Join Now on WhatsApp Mahakumbh 2025: Mahakumbhમાં પ્રખ્યાત થવું મોંઘુ સાબિત થયું..! જાણો Mahakumbh ની રસપ્રદ વાતો - Ojasinformer

Mahakumbh 2025: Mahakumbhમાં પ્રખ્યાત થવું મોંઘુ સાબિત થયું..! જાણો Mahakumbh ની રસપ્રદ વાતો

પ્રયાગરાજ Mahakumbh, જે શ્રદ્ધાળુઓ અને સંતોનું અદ્વિતીય મેળાવડું છે, જે શાંતિ અને ભક્તિ માટે પ્રખ્યાત છે. પરંતુ આ વખતે, ત્રણ ચહેરાઓ – હર્ષા રિચારિયા, મોનાલિસા, અને અભય સિંહ (IITian બાબા) – શ્રદ્ધાના આ સંગમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. તેમજ સોશિયલ મીડિયા અને અખાડાના વિવાદો દ્વારા, આ ત્રણેયના જીવનમાં પ્રભાવશાળી ઘટનાઓ ઘટી છે.

હર્ષા રિચારિયા: સૌથી સુંદર સાધ્વી અને વિવાદોનો ભોગ :

Mahakumbh ની શરૂઆતથી જ હર્ષા રિચારિયા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. “સૌથી સુંદર સાધ્વી” તરીકે ઓળખાવતી હર્ષાને નિરંજની અખાડાના રથ પર બેઠેલી જોવામાં આવી હતી, જે વિવાદનું કારણ બની, અને કેટલાક સંતોએ હર્ષાના ભગવા વસ્ત્રો પહેરવા અને રથ પર બેસવા અંગે વાંધા ઊઠાવ્યા, અને આ વાંધો એટલો વધ્યો કે હર્ષાએ રડતા-રડતા મહાકુંભ છોડી દેવાની જાહેરાત કરી.

હર્ષાએ સોશિયલ મીડિયા પર આ અંગે પોતાના ભાવુક અનુભવો શેર કરતા કહ્યું, “ધર્મ વિશે જાણવા અને સનાતન સંસ્કૃતિને સમજવા માટે આવી હતી, પણ કેટલાક લોકોએ મને Mahakumbh ના પવિત્ર અનુભવથી વંચિત રાખ્યું,અને આ અનુભવો મને જીવનભર યાદ રહેશે.”

મોનાલિસા: સુંદરતાની ચર્ચા અને તેના જીવનમાં પડેલાં ફેરફારો :

ઇન્દોરની રહેવાસી મોનાલિસા ફૂલ અને માળા વેચવા Mahakumbh માં આવી હતી, અને તેની સુંદરતાના કારણે લોકચર્ચામાં આવી. તેની તુલના મોટા કલાકારો સાથે થવા લાગી, અને સોશિયલ મીડિયાના વાયરલ વીડિયોએ સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી. અહેવાલ મુજબ, આ બધાથી મોનાલિસાના પિતા અસ્વસ્થ થયા અને તેમને તરત જ ઘરે પાછી આવવા કહ્યું.

મોનાલિસાની બહેનના જણાવ્યા અનુસાર, “મોનાલિસા માત્ર માળા વેચવા માટે અહીં આવી હતી. પરંતુ લોકોએ તેને માળા વેચવા દીધી નહીં, ગુપ્ત રીતે વીડિયો બનાવ્યા અને તેને પરેશાન કરી. આથી તે વધારે સમય ત્યાં રહી શકી નહીં.”

IITian બાબા: વિવાદ અને શિસ્તભંગનો આરોપ :

IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને IITian બાબા તરીકે ઓળખાતા અભય સિંહ પણ ચર્ચામાં રહ્યા. જૂના અખાડાએ તેમના ગુરુ વિરુદ્ધ અપશબ્દો માટે અભય સિંહ પર અખાડા પ્રવેશ માટે પ્રતિબંધ મૂક્યો છે, અને અખાડાના પ્રવક્તાએ જણાવ્યું કે, “સંન્યાસમાં શિસ્ત અને ગુરુ પ્રત્યેની ભક્તિ અતિમહત્વની છે. જે આ નિયમોનું પાલન ન કરે તે સાધુ બની શકતો નથી.”

સામાજિક મીડિયા અને આધુનિકતા સામે પડકાર :

આથી જ આપણે જાણી શકીયે કે કેવી રીતે આધુનિક તકનીક અને સોશિયલ મીડિયા પર વિવાદો ઝડપી ગતિએ પ્રસરે છે, અને Mahakumbh જેવી આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ, આધુનિકતાના પડકારો અને પારંપરિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ સ્પષ્ટ જોવા મળે છે.

અંતિમ વિચાર :

પ્રયાગરાજ Mahakumbh માનવ જીવનમાં આત્મિક શાંતિ અને આસ્થા માટે મહત્વનું છે. હર્ષા રિચારિયા, મોનાલિસા, અને IITian બાબાના જીવનમાં થયેલી આ ઘટનાઓ આપણે દર્શાવે છે કે કેવી રીતે આ સાંસ્કૃતિક મેળાવડા વ્યક્તિગત અનુભવ માટે મિશ્ર અસર પાડે છે. આ વિવાદો અને અનુભવો Mahakumbh ના ઇતિહાસમાં યાદગાર રહીશે.

Related Post

New India Co-operative Bank Fraud: ડિપોઝિટ ઈન્સ્યોરન્સ મર્યાદાને વર્તમાન પાંચ લાખથી વધારવા સરકારની વિચારણા…

તાજેતરમાં પ્રકાશમાં આવેલ New India Co-operative Bank કૌભાંડના પરિણામે નાણાં મંત્રાલય અને આરબીઆઈની કામગીરી ફરી સવાલોના ઘેરામાં આવી છે અને આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા ...

|

આજનું રાશિફળ : 19 ફેબ્રુઆરી 2025

Daily Horoscope: આજનું રાશિફળ કહે છે કે કેટલીક રાશિઓને આનંદ અને સફળતાનું મૌકો મળશે, જ્યારે કેટલાકને પરિવારના સહકારથી નવી દિશા મળી શકે છે અને ...

|

આજનું રાશિફળ : 18 ફેબ્રુઆરી 2025

Daily Horoscope: આજનું રાશિફળ એક રોમાંચક મિશ્રણ છે – કેટલીક રાશિઓ માટે શુભ અવસર અને નવા માર્ગ પ્રગટાવવાનો છે, જ્યારે બીજી તરફ, કેટલીક રાશિઓને ...

|

ગુજરાતની કંપની 1 પર 5 આપશે Bonus Share, આવતીકાલે રેકોર્ડ ડેટ; જાણો શુ છે આ Bonus Share અને તેની પુરી માહિતી…

Bonus Share: ગુજરાત ટૂલરૂમ લિમિટેડ, એક પ્રખ્યાત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની, તેના શેરહોલ્ડર્સ માટે એક મોટા સમાચાર સાથે આવી છે અને કંપનીએ 1:5 ના ...

|

Leave a Comment