RBI નો મોટો નિર્ણય, સામાન્ય માણસને પાંચ વર્ષ બાદ મળી ખુશખબરી ! Repo rateમાં ઘટાડો…સસ્તી થશે લોન..

ભારતીય જનતા માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે! ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લેવાયેલા મોટા નિર્ણયને કારણે લોનના વ્યાજદર ઓછા થશે અને EMI માં રાહત મળશે અને 7 ફેબ્રુઆરી, 2025ના રોજ RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક પૂર્ણ થઈ. જે બાદ RBI ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી કે Repo rate 0.25% ઘટાડીને 6.25% કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાંચ વર્ષ બાદ Repo rate માં થયેલો મહત્વનો ઘટાડો છે.

શું છે Repo rate?

Repo rate એ વ્યાજ દર છે જેના પર વાણિજ્યિક બેંકો RBI પાસેથી ટૂંકાગાળાના લોન માટે નાણાં ઉધાર લે છે અને જ્યારે RBI Repo rate ઘટાડે છે, ત્યારે બેંકો માટે લોન મેળવવાનું સસ્તું બને છે અને તેનો લાભ સામાન્ય ગ્રાહકોને પણ મળે છે, કારણ કે હાઉસિંગ લોન, ઓટો લોન અને પર્સનલ લોન પરના વ્યાજ દરો ઓછા થાય છે.

Repo rate ઘટાડાનો સામાન્ય નાગરિક પર શું પ્રભાવ પડશે?

  • EMIમાં રાહત – લોનના વ્યાજ દર ઘટવાથી માસિક હપ્તા (EMI) પરનો ભાર ઓછો થશે.
  • નવી લોન સસ્તી થશે – હાઉસિંગ લોન, ઓટો લોન, અને પર્સનલ લોન વધુ સસ્તી થશે, જેના કારણે લોકોએ નવી લોન લેવા માટે ઉત્સાહ વધશે.
  • માર્કેટમાં લિક્વિડિટી વધશે – બેંકો પર કેશનો પ્રવાહ વધુ રહેશે, જેનાથી અર્થતંત્રમાં વૃદ્ધિ થવાની શક્યતા છે.

Repo rateના ઇતિહાસ પર નજર:

મે 2020માં, કોવિડ-19 મહામારી દરમિયાન RBIએ Repo rate 0.40% ઘટાડીને 4% કર્યો હતો અને ત્યાર બાદ, રશિયા-યુક્રેન યુદ્ધના પગલે મહંગાઈ પર નિયંત્રણ લાવવા માટે મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી RBIએ Repo rate માં સતત વધારો કર્યો હતો અને જેને કારણે તે 6.50% પર પહોંચ્યો હતો. હવે, બે વર્ષ પછી, RBIએ 0.25%Repo rate ઘટાડીને 6.25% કરવાનું જાહેર કર્યું છે.

ભારતીય અર્થતંત્ર પર Repo rate ઘટાડાનો અસર:

RBIના આ નિર્ણયો પછી, નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વલણ ‘તટસ્થ’ રાખવાનું નક્કી કર્યું છે અને આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દર 6.7% રહેવાનો અંદાજ છે, જ્યારે હાલના નાણાકીય વર્ષ માટે આ અંદાજ 6.4% રાખવામાં આવ્યો છે. ફુગાવા પર કાબૂ મેળવવા માટે RBIએ 2025માં છૂટક ફુગાવો 4.2% રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે 2024માં 4.8% હતું.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાની ટિપ્પણી:

RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, ‘ફુગાવા પર નિયંત્રણ રાખવું આપણા માટે પ્રાથમિકતા છે. આર્થિક વૃદ્ધિને તબક્કાવાર આગળ ધપાવવું એ અમારી પ્રાથમિકતા રહેશે. ભારતીય અર્થતંત્ર મજબૂત છે, પરંતુ વૈશ્વિક પડકારોથી અસ્પૃશ્ય નથી.’ તેઓએ વધુમાં ઉમેર્યું કે, RBI હંમેશા હિસ્સેદારો સાથે પરામર્શ કરીને એક સસ્તું અને સ્થિર નાણાકીય માળખું ઊભું રાખવાની દિશામાં આગળ વધશે.

શું તમે લોન લેવા ઈચ્છો છો?

જો તમે નવી હાઉસિંગ લોન, કાર લોન અથવા પર્સનલ લોન લેવા ઈચ્છો છો, તો હવે તે યોગ્ય સમય હોઈ શકે છે અને રેપો રેRepo rate ઘટવાથી નવા લોનના વ્યાજદર ઓછા થશે, જેનાથી તમારા EMIમાં રાહત મળશે.

આ સમાચાર તમારી જિંદગી પર કેવી અસર કરશે? તમારા વિચારો અમને કમેન્ટમાં જણાવો!

Related Post

આજનું રાશિફળ

આજનું રાશિફળ : 24 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 23 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|
આજનું રાશિફળ

આજનું રાશિફળ : 22 મે 2025

આજનો દિવસ તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તક લઈને આવ્યો છે! જાણો, આજે તમારી સફળતાના દ્વાર ખૂલી રહ્યા છે, અને તમારી રાહ જોવા ...

|

Trump નો 5% Remittance Tax પ્રસ્તાવ: યુ.એસ.માં રહેલા ભારતીયો પર શું અસર પડશે?

The Trump administration is planning to impose a 5% remittances tax on outward. The Trump administration is considering a major policy shift that could ...

|

Leave a Comment