નોકરિયાત વર્ગ માટે એક ખુશખબર છે! કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO એ નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25% વ્યાજ દર યથાવત્ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, વધુ જાણીએ તો આ નિર્ણયથી 7 કરોડથી વધુ PF ધારકોને ફાયદો મળશે.
મહત્વની વાત એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવા છતાં EPFO એ વ્યાજ દરમાં કોઈ ઘટાડો કર્યો નથી અને નિષ્ણાંતો દ્વારા ધારણા કરી છે કે વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે, પરંતુ EPFO એ કર્મચારીઓ માટે આદર્શ નિર્ણય લીધો છે.
અગાઉ પણ વધ્યા છે EPFOના વ્યાજ દર:
- ફેબ્રુઆરી 2024 માં EPFO એ 2022-23 માટેના 8.15% ના વ્યાજ દરને વધારી 2023-24 માટે 8.25% કર્યો હતો.
- 2021-22 માટે EPF પર વ્યાજ દર 8.1% કરવામાં આવ્યો હતો, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો.
- 2020-21 માટે 8.5% અને 2019-20 માટે 8.65% હતો.
- 1992-93 દરમિયાન EPFO દ્વારા 12% ના દરે વ્યાજ ચૂકવવામાં આવતું હતું, જે 2002-03માં ઘટીને 9.50% થયું હતું.
EPFO દ્વારા લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય:
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠકમાં 2024-25 માટે EPF પર 8.25% વ્યાજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને CBT દ્વારા લેવામાં આવેલ નિર્ણયને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. એકવાર સરકારની મંજૂરી મળ્યા બાદ 7 કરોડથી વધુ EPF ખાતાધારકોના ખાતામાં આ વ્યાજ જમા કરવામાં આવશે.
કર્મચારીઓ માટે ફાયદાકારક નિર્ણય:
આ નિર્ણય કર્મચારીઓ માટે એક હકારાત્મક સંકેત છે, કારણ કે EPF વ્યવસ્થા લાંબા ગાળાના રોકાણ માટે સુરક્ષિત અને વિશ્વસનીય છે વધુ જાણીએ તો નોકરિયાત વર્ગ માટે વ્યાજ દરમાં વધારો તેમની ભવિષ્યની બચતને વધુ મજબૂત બનાવશે. EPFO દ્વારા સતત લેવામાં આવતા આ નિર્ણયો કર્મચારીઓ માટે સ્થિરતા અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.
અંતમાં:
EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર યથાવત્ રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક ઉત્તમ સમાચાર છે અને EPF ખાતાધારકો માટે આ રોકાણ સારા રિટર્ન સાથે નાણાકીય સુરક્ષા પણ આપે છે. સરકારી મંજૂરી બાદ રકમ જમા થશે, અને આ નિર્ણય ભવિષ્યની પેન્શન અને નાણાકીય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
📢 તમારું મંતવ્ય અમને જણાવવા ભૂલશો નહીં! તમારા વિચારો અને પ્રશ્નો નીચે કમેન્ટમાં શેર કરો.